ચૂંટણી પંચે મતદાર યાદીમાં હેરાફેરી કરી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. પાર્ટીએ કહ્યું છે કે, તેમાં ચૂંટણી પંચ સામેલ છે. કોંગ્રેસ કાયદાકીય અને રાજકીય રીતે તેનો નિવેડો લાવવાનો પ્રયાસ કરી રહી છે. એક જ ઓળખની સંખ્યા ધરાવતા અનેક મતદારો પર ચૂંટણી પંચ ચુપ રહેતા કોંગ્રેસ નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે. નેતાઓનું કહેવું છે કે, આ બાબત લોકશાહી માટે ખતરો છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે, અમે આ મુદ્દાએ છોડીશું નહીં. કોંગ્રેસમાં નિષ્ણાતોના એક ગ્રૂપ EAGLEએ આ મુદ્દે નિવેદન જાહેર કર્યું છે.