કેવડિયાને દેશના વિવિધ પ્રદેશોથી જોડતી 8 ટ્રેનોને પીએમ મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને લીલી ઝંડી આપીને રવાના કરી છે. આ ટ્રેનો સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સીમલેસ ક્નેક્ટિવિટી પ્રદાન કરી છે. આ ઉપરાંત દેશના પહેલા ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી એ અમારા માટે એક પ્રતિમા જ નથી પરંતુ દેશની એકજૂટતાનું ઉદાહરણ છે સીએમ રૂપાણીએ જણાવ્યુ કે, 'કેવડિયાના વિકાસ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટિના નિરંતર વિકાસને કારણે સ્થાનિક લોકોનો વિકાસ પણ થઇ રહ્યો છે. આજે દેશ વિદેશથી લોકો કેવડિયા આવે છે. જેનાથી કેવડિયાની સ્થાનિક સંસ્કૃતિ, ત્યાંની પરંપરાને પણ આગવી ઓળખ મળી રહી છે. એટલે કહી શકાય કે, અહીંનો આદિવાસી સમાજ આખા વિશ્વ સાથે જોડાયો છે.
કેવડિયાને દેશના વિવિધ પ્રદેશોથી જોડતી 8 ટ્રેનોને પીએમ મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને લીલી ઝંડી આપીને રવાના કરી છે. આ ટ્રેનો સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સીમલેસ ક્નેક્ટિવિટી પ્રદાન કરી છે. આ ઉપરાંત દેશના પહેલા ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી એ અમારા માટે એક પ્રતિમા જ નથી પરંતુ દેશની એકજૂટતાનું ઉદાહરણ છે સીએમ રૂપાણીએ જણાવ્યુ કે, 'કેવડિયાના વિકાસ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટિના નિરંતર વિકાસને કારણે સ્થાનિક લોકોનો વિકાસ પણ થઇ રહ્યો છે. આજે દેશ વિદેશથી લોકો કેવડિયા આવે છે. જેનાથી કેવડિયાની સ્થાનિક સંસ્કૃતિ, ત્યાંની પરંપરાને પણ આગવી ઓળખ મળી રહી છે. એટલે કહી શકાય કે, અહીંનો આદિવાસી સમાજ આખા વિશ્વ સાથે જોડાયો છે.