શ્રદ્વાળુઓની આસ્થા અને શ્રદ્વાનું પ્રતિક એવી જગવિખ્યાત રૂપાલ વરદાયિની માતાજીની પલ્લીમાં રીતસર ઘીની નદીઓ વહેતી જોવા મળે છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે પલ્લીમેળો નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. આ પલ્લીમાં લાખો શ્રદ્વાળુઓ ભાગ લે છે. પલ્લી યોજવા અંગે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. આ વર્ષે કોરોના વાયરસના કારણે પલ્લીનું આયોજન રદ કરવામાં આવ્યું છે.
પલ્લીના આયોજન અંગે પહેલા કોઇ નિર્ણય કરવામાં આવ્યો નહોતો જેને કારણે ટ્રસ્ટીઓ પણ અસમંજસમાં મૂકાયા હતા. જો કે હવે સરકારે નિર્ણય લઇ લીધો છે કે આ વર્ષે પલ્લીનું આયોજન નહીં થાય. આ પલ્લીમાં હજારો કિલો ઘી ચઢાવવામાં આવે છે. જેમાં લાખો ભાવિકો પોતાની માનતા પુરી કરે છે.
શ્રદ્વાળુઓની આસ્થા અને શ્રદ્વાનું પ્રતિક એવી જગવિખ્યાત રૂપાલ વરદાયિની માતાજીની પલ્લીમાં રીતસર ઘીની નદીઓ વહેતી જોવા મળે છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે પલ્લીમેળો નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. આ પલ્લીમાં લાખો શ્રદ્વાળુઓ ભાગ લે છે. પલ્લી યોજવા અંગે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. આ વર્ષે કોરોના વાયરસના કારણે પલ્લીનું આયોજન રદ કરવામાં આવ્યું છે.
પલ્લીના આયોજન અંગે પહેલા કોઇ નિર્ણય કરવામાં આવ્યો નહોતો જેને કારણે ટ્રસ્ટીઓ પણ અસમંજસમાં મૂકાયા હતા. જો કે હવે સરકારે નિર્ણય લઇ લીધો છે કે આ વર્ષે પલ્લીનું આયોજન નહીં થાય. આ પલ્લીમાં હજારો કિલો ઘી ચઢાવવામાં આવે છે. જેમાં લાખો ભાવિકો પોતાની માનતા પુરી કરે છે.