Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બાવળના સરોડા ગામથી અને આર્થિક કટોકટીમાંથી ઉછરીને આવેલા ચંદ્રકાન્ત મહેતાનું નામ સાહિત્ય ક્ષેત્રમાં શિખર ઉપર પહોંચ્યું છે.  ડૉ. ચંદ્રકાન્ત મહેતા કહે છે કે, તેઓ જ્યારે પ્રોફેસર તરીકે નિમણુંક થયા ત્યારે પ્રથમવાર તેમણે એક કવિતા લખી જે તેમના સાથીમિત્રોને ખૂબ ગમી. આજે તેમના કુલ 173 પુસ્તકો છપાયા છે. ગુજરાતીમાં 133, પત્રકારત્વના 6, હિન્દીના 30, અંગ્રેજી અને પ્રાકૃતના 2 પુસ્તકો લખ્યા છે.

ગોઢ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા ચંદ્રકાન્ત મહેતા ત્રણ બહેનો વચ્ચે એક ભાઈ રહ્યા છે. પોતાના બાળપણની વાતો કરતા તેમણે જણાવ્યું કે, તેઓ જયારે બીજા ધોરણમાં હતા ત્યારે શાળામાં આવેલા એક અધ્યાપકે તેમને મોટા થઈને શું બનવું એવો પ્રશ્ન કર્યો. તેમણે સૌથી મોટા પ્રોફેસર બનવાનું કહ્યું. જો કે એ સમયે મોટા પ્રોફેસર કેમ થવાય તેની તેમને જાણ સુધ્ધાં ન હતી છતાં તેઓ એ જ ધ્યેય પાછળ મંડી પડ્યા.

સમયની કઠોરતાને કારણે આઠ વર્ષની ઉંમરે તેમના પિતાનું દેહાંત થઈ જતા આર્થિક પરિસ્થિતિમાં ખૂબ નબળી થઇ. આગળ ભણવાની તેમની મહત્વકાંક્ષા એટલી હદે રહી કે તેમણે દરિયાપુરની બોર્ડિંગ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો. દરિયાપુરની શાળામાં પ્રવેશ મળી જતાં ફીની ચિંતામાંથી તો મુક્તિ મળી પણ તેમની પાસે પાઠ્યપુસ્તક કે કોઈ પણ અન્ય જરૂરીયાતની વસ્તુ ખરીદવા માટે પૈસા ન હોવાની બીજી ચિંતા પણ દ્વારે જ ઉભી હતી. આવી જ કપરી પરિસ્થિતીમાંથી પસાર થઈ તેમણે Phd સુધીનો અભ્યાસ પૂરો કર્યો.

ડૉ. ચંદ્રકાન્ત મહેતા ગુજરાતી-હિંદીના જાણીતા કવિ, લેખક, પત્રકાર, કટારલેખક, મીડિયા તજજ્ઞો, સમાજસેવી અને લોકપ્રિય વકતા છે. સાથે એમ.એ, Phd, એલએલબીની પદવી ધરાવતા ડોક્ટર ચંદ્રકાન્ત મહેતા છે. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તથા કુલપતિ તેમજ યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગના વડા તરીકે તેમજ નવગુજરાત આર્ટસ કોલેજના હિંદી વિભાગના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી છે. તેમજ હિન્દી સોંગ ગુજરાતી સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ સંસ્કૃતિ એવોર્ડ, સંસ્કાર એવોર્ડ, ભારતી ભૂષણ એવોર્ડ, ઇન્ટરનેશનલ એવોર્ડ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ ગુજરાત દ્વારા જેઠાલાલ જોશી હિન્દી સેવા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
 

બાવળના સરોડા ગામથી અને આર્થિક કટોકટીમાંથી ઉછરીને આવેલા ચંદ્રકાન્ત મહેતાનું નામ સાહિત્ય ક્ષેત્રમાં શિખર ઉપર પહોંચ્યું છે.  ડૉ. ચંદ્રકાન્ત મહેતા કહે છે કે, તેઓ જ્યારે પ્રોફેસર તરીકે નિમણુંક થયા ત્યારે પ્રથમવાર તેમણે એક કવિતા લખી જે તેમના સાથીમિત્રોને ખૂબ ગમી. આજે તેમના કુલ 173 પુસ્તકો છપાયા છે. ગુજરાતીમાં 133, પત્રકારત્વના 6, હિન્દીના 30, અંગ્રેજી અને પ્રાકૃતના 2 પુસ્તકો લખ્યા છે.

ગોઢ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા ચંદ્રકાન્ત મહેતા ત્રણ બહેનો વચ્ચે એક ભાઈ રહ્યા છે. પોતાના બાળપણની વાતો કરતા તેમણે જણાવ્યું કે, તેઓ જયારે બીજા ધોરણમાં હતા ત્યારે શાળામાં આવેલા એક અધ્યાપકે તેમને મોટા થઈને શું બનવું એવો પ્રશ્ન કર્યો. તેમણે સૌથી મોટા પ્રોફેસર બનવાનું કહ્યું. જો કે એ સમયે મોટા પ્રોફેસર કેમ થવાય તેની તેમને જાણ સુધ્ધાં ન હતી છતાં તેઓ એ જ ધ્યેય પાછળ મંડી પડ્યા.

સમયની કઠોરતાને કારણે આઠ વર્ષની ઉંમરે તેમના પિતાનું દેહાંત થઈ જતા આર્થિક પરિસ્થિતિમાં ખૂબ નબળી થઇ. આગળ ભણવાની તેમની મહત્વકાંક્ષા એટલી હદે રહી કે તેમણે દરિયાપુરની બોર્ડિંગ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો. દરિયાપુરની શાળામાં પ્રવેશ મળી જતાં ફીની ચિંતામાંથી તો મુક્તિ મળી પણ તેમની પાસે પાઠ્યપુસ્તક કે કોઈ પણ અન્ય જરૂરીયાતની વસ્તુ ખરીદવા માટે પૈસા ન હોવાની બીજી ચિંતા પણ દ્વારે જ ઉભી હતી. આવી જ કપરી પરિસ્થિતીમાંથી પસાર થઈ તેમણે Phd સુધીનો અભ્યાસ પૂરો કર્યો.

ડૉ. ચંદ્રકાન્ત મહેતા ગુજરાતી-હિંદીના જાણીતા કવિ, લેખક, પત્રકાર, કટારલેખક, મીડિયા તજજ્ઞો, સમાજસેવી અને લોકપ્રિય વકતા છે. સાથે એમ.એ, Phd, એલએલબીની પદવી ધરાવતા ડોક્ટર ચંદ્રકાન્ત મહેતા છે. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તથા કુલપતિ તેમજ યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગના વડા તરીકે તેમજ નવગુજરાત આર્ટસ કોલેજના હિંદી વિભાગના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી છે. તેમજ હિન્દી સોંગ ગુજરાતી સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ સંસ્કૃતિ એવોર્ડ, સંસ્કાર એવોર્ડ, ભારતી ભૂષણ એવોર્ડ, ઇન્ટરનેશનલ એવોર્ડ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ ગુજરાત દ્વારા જેઠાલાલ જોશી હિન્દી સેવા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ