દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેર ચાલી રહી છે. આ દરમિયાન રોજ મોટી સંખ્યામાં નવા કેસ (Covid-19 Cases) સામે આવી રહ્યા છે. એવામાં દેશમાં કોરોના વેક્સીન (Corona Vaccine) અને તપાસ (Corona Test)ને લઈ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે કોરોના તપાસને લઈ નવી એડવાઇઝરી બહાર પાડી છે. તેમાં લેબોરેટરીના ભારણને ઓછો કરવા માટે આરટી-પીસીઆર તપાસ (RT-PCR Test)ને શક્ય એટલી ઓછી કરવા અને રેપિડ એન્ટિજન ટેસ્ટ (Rapid Antigen Test)ને વધારવાની વાત કહેવામાં આવી છે.
આઇસીએમાઆર પ્રમુખની ભલામણો...
1. જે લોકોને એક વાર આરટી-પીસીઆર કે રેપિડ એન્ટીજન ટેસ્ટ (RAT)ની તપાસમાં સંક્રમણ હોવાનું સામે આવ્યું હતું, તેમણે બીજી વાર આરટીપીસીઆર ટેસ્ટ ન કરાવવો જોઈએ.
2. હૉસ્પિટલોમાં કોરોના સંક્રમણથી મુક્ત થયા બાદ રજાના સમયે દર્દીઓના ટેસ્ટ કરાવવાની જરૂર નથી.
3. લેબોરેટરીઓ પર દબાણ ઓછું કરવા માટે આંતરરાજ્ય પ્રવાસ કરનારા સ્વસ્થ લોકોના આરટી-પીસીઆર ટેસ્ટની અનિવાર્યતાને પૂરી રીતે હટાવવી જોઈએ.
4. ફ્લૂ કે કોવિડ-19ના લક્ષણવાળા લોકોને બિનજરૂરી મુસાફરી અને આંતરરાજ્ય પ્રવાસ કરવાથી બચવું જોઈએ. તેનાથી સંક્રમણનો પ્રસાર ઓછો થશે.
5. કોરોનાના તમામ લક્ષણ વગરના લોકોને પ્રવાસ દરમિયાન કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે.
6. રાજ્યોને આરટી-પીસીઆર ટેસ્ટને મોબાઇલ સિસ્ટમના માધ્યમથી કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેર ચાલી રહી છે. આ દરમિયાન રોજ મોટી સંખ્યામાં નવા કેસ (Covid-19 Cases) સામે આવી રહ્યા છે. એવામાં દેશમાં કોરોના વેક્સીન (Corona Vaccine) અને તપાસ (Corona Test)ને લઈ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે કોરોના તપાસને લઈ નવી એડવાઇઝરી બહાર પાડી છે. તેમાં લેબોરેટરીના ભારણને ઓછો કરવા માટે આરટી-પીસીઆર તપાસ (RT-PCR Test)ને શક્ય એટલી ઓછી કરવા અને રેપિડ એન્ટિજન ટેસ્ટ (Rapid Antigen Test)ને વધારવાની વાત કહેવામાં આવી છે.
આઇસીએમાઆર પ્રમુખની ભલામણો...
1. જે લોકોને એક વાર આરટી-પીસીઆર કે રેપિડ એન્ટીજન ટેસ્ટ (RAT)ની તપાસમાં સંક્રમણ હોવાનું સામે આવ્યું હતું, તેમણે બીજી વાર આરટીપીસીઆર ટેસ્ટ ન કરાવવો જોઈએ.
2. હૉસ્પિટલોમાં કોરોના સંક્રમણથી મુક્ત થયા બાદ રજાના સમયે દર્દીઓના ટેસ્ટ કરાવવાની જરૂર નથી.
3. લેબોરેટરીઓ પર દબાણ ઓછું કરવા માટે આંતરરાજ્ય પ્રવાસ કરનારા સ્વસ્થ લોકોના આરટી-પીસીઆર ટેસ્ટની અનિવાર્યતાને પૂરી રીતે હટાવવી જોઈએ.
4. ફ્લૂ કે કોવિડ-19ના લક્ષણવાળા લોકોને બિનજરૂરી મુસાફરી અને આંતરરાજ્ય પ્રવાસ કરવાથી બચવું જોઈએ. તેનાથી સંક્રમણનો પ્રસાર ઓછો થશે.
5. કોરોનાના તમામ લક્ષણ વગરના લોકોને પ્રવાસ દરમિયાન કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે.
6. રાજ્યોને આરટી-પીસીઆર ટેસ્ટને મોબાઇલ સિસ્ટમના માધ્યમથી કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.