કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પહેલાં આયુર્વેદિક ડોક્ટર્સને સર્જરી કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી તેનો મેડિકલ જગતમાં વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા ૮ ડિસેમ્બરે ખેડૂત સંગઠનોની સાથે સરકારનો વિરોધ કરવા ૧૦,૦૦૦ જગ્યાએ દેખાવો કરવામાં આવ્યા હતા. હવે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા ૧૧ ડિસેમ્બરે દેશભરમાં હડતાળ પાડવાની અને બંધ રાખવાની જાહેરાત કરી છે. સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી કોરોના સેવાઓ અને ઈમર્જન્સી સેવાઓ સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવશે. બીજી તરફ આઈએમએ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે, આ બંધને પગલે કોરોનાની સેવામાં કોઈ અસર જણાશે નહીં. બીજી તરફ નેશનલ ઈન્ડિગ્રેટેડ મેડિકલ એસોસિયેશન એટલે કે નીમા દ્વારા બંધ વખતે બીએમએસ ડોક્ટરોની લોકો માટે ફ્રી સર્વિસની જાહેરાત કરાઈ છે.
કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પહેલાં આયુર્વેદિક ડોક્ટર્સને સર્જરી કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી તેનો મેડિકલ જગતમાં વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા ૮ ડિસેમ્બરે ખેડૂત સંગઠનોની સાથે સરકારનો વિરોધ કરવા ૧૦,૦૦૦ જગ્યાએ દેખાવો કરવામાં આવ્યા હતા. હવે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા ૧૧ ડિસેમ્બરે દેશભરમાં હડતાળ પાડવાની અને બંધ રાખવાની જાહેરાત કરી છે. સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી કોરોના સેવાઓ અને ઈમર્જન્સી સેવાઓ સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવશે. બીજી તરફ આઈએમએ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે, આ બંધને પગલે કોરોનાની સેવામાં કોઈ અસર જણાશે નહીં. બીજી તરફ નેશનલ ઈન્ડિગ્રેટેડ મેડિકલ એસોસિયેશન એટલે કે નીમા દ્વારા બંધ વખતે બીએમએસ ડોક્ટરોની લોકો માટે ફ્રી સર્વિસની જાહેરાત કરાઈ છે.