કુદરતી આપત્તિના સમયે, અસરગ્રસ્ત લોકોને સમયસર બચાવ અને રાહત કામગીરી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં આપદા મિત્ર યોજના શરુ કરી રહી છે. આપદા મિત્ર ( AAPDA MITRA) યોજનાની સાથેસાથે કુદરતી આપત્તિની આગોતરી જાણકારી મળી રહે તે માટે કોમન એલર્ટ પ્રોટોકલ (Common Alert Protocol) પણ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામા આવશે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની (NDMA) સ્થાપનાના 17 વર્ષની ઉજવણીના ભાગરૂપે સંબોધન કરતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યુ કે, એનડીએમએ (NDMA), સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SDMA) અને એસડીઆરએફ (SDRF) દ્વારા દેશના ઈતિહાસને બદલવાનુ કામ કર્યુ છે. 130 કરોડની જનતાના દેશમાં, દરેક રાજ્યામાં કોઈને કોઈ પ્રકારે કુદરતી આપત્તિ આવતી રહી છે. આપદા સામે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. જો આ ના કરવામાં આવે તો અનેક મોટી ખુવારી થઈ શકે. પણ 17 વર્ષમાં અનેક પરિવર્તન આવ્યા છે.
આજે બે નવી યોજના શરૂ થઈ રહ્યી છે. આપદા મિત્ર અને કોમન એલર્ટ પ્રોટોકોલ. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા અમલમાં લાવનાર આપદા મિત્ર દ્વારા અપદા આવવાની સાથે જ તરત જ રિસ્પોન્સ આપી શકાય. એક વાર આપદા આવે તો ઘટના સ્થળે પહોચવા માટે સમય લાગે. જો કે આ સ્થિતિ નિવારવા માટે વધુ ચાર બટાલિયન શરૂ કરવામાં આવનાર છે.
કુદરતી આપત્તિના સમયે, અસરગ્રસ્ત લોકોને સમયસર બચાવ અને રાહત કામગીરી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં આપદા મિત્ર યોજના શરુ કરી રહી છે. આપદા મિત્ર ( AAPDA MITRA) યોજનાની સાથેસાથે કુદરતી આપત્તિની આગોતરી જાણકારી મળી રહે તે માટે કોમન એલર્ટ પ્રોટોકલ (Common Alert Protocol) પણ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામા આવશે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની (NDMA) સ્થાપનાના 17 વર્ષની ઉજવણીના ભાગરૂપે સંબોધન કરતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યુ કે, એનડીએમએ (NDMA), સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SDMA) અને એસડીઆરએફ (SDRF) દ્વારા દેશના ઈતિહાસને બદલવાનુ કામ કર્યુ છે. 130 કરોડની જનતાના દેશમાં, દરેક રાજ્યામાં કોઈને કોઈ પ્રકારે કુદરતી આપત્તિ આવતી રહી છે. આપદા સામે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. જો આ ના કરવામાં આવે તો અનેક મોટી ખુવારી થઈ શકે. પણ 17 વર્ષમાં અનેક પરિવર્તન આવ્યા છે.
આજે બે નવી યોજના શરૂ થઈ રહ્યી છે. આપદા મિત્ર અને કોમન એલર્ટ પ્રોટોકોલ. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા અમલમાં લાવનાર આપદા મિત્ર દ્વારા અપદા આવવાની સાથે જ તરત જ રિસ્પોન્સ આપી શકાય. એક વાર આપદા આવે તો ઘટના સ્થળે પહોચવા માટે સમય લાગે. જો કે આ સ્થિતિ નિવારવા માટે વધુ ચાર બટાલિયન શરૂ કરવામાં આવનાર છે.