જહાંગીરપરીમાં ફરી એક વખત પથ્થરમારાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ત્યાં ગોળી ચલાવનાર આરોપીની પત્નીને જ્યારે ક્રાઈમ બ્રાન્ચ કસ્ટડીમાં લેવા ત્યાં પહોંચી તો ત્યાંના લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઘાયલ થયા હતા. આ કેસની તપાસ અત્યાર સુધી દિલ્હી પોલીસ કરી રહી હતી પરંતુ હવે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
આ અગાઉ દિલ્હીના જહાંગીરપુરીમાં 16 એપ્રિલે હનુમાન જયંતિના દિવસે હિંસા થઈ હતી. આ હિંસા બાદ અત્યાર સુધીમાં 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત બે સગીરોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
જહાંગીરપરીમાં ફરી એક વખત પથ્થરમારાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ત્યાં ગોળી ચલાવનાર આરોપીની પત્નીને જ્યારે ક્રાઈમ બ્રાન્ચ કસ્ટડીમાં લેવા ત્યાં પહોંચી તો ત્યાંના લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઘાયલ થયા હતા. આ કેસની તપાસ અત્યાર સુધી દિલ્હી પોલીસ કરી રહી હતી પરંતુ હવે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
આ અગાઉ દિલ્હીના જહાંગીરપુરીમાં 16 એપ્રિલે હનુમાન જયંતિના દિવસે હિંસા થઈ હતી. આ હિંસા બાદ અત્યાર સુધીમાં 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત બે સગીરોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.