જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત રાજ્યમાં વિભાજિત કર્યા બાદ હવે દમણ-દીવ અને દાદરા-નગર હવેલીનું વિલીનીકરણ કરવામાં આવશે. આ બે કેન્દ્રશાસિત પ્રદેશને ભેગા કરી દેવામાં આવશે. આજે (બુધવારે) લોકસભામાં આ અંગે બિલ રજૂ કરાયું હતું. જે બિલ લોકસભામાં પાસ થયું છે.
ઉલ્લેખનીય છે કે બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે અલગ બજેટ અને સચિવાલય છે, દાદરા-નગર-હવેલીમાં એક જીલ્લો આવેલો છે. જ્યારે દમણ અને દીવમાં 2 જીલ્લા આવેલા છે. આ બંને પ્રદેશો 35 કીમી એકબીજાથી દૂર છે. વિલય બાદ વડુ મથક દમણ-દીવમાં થઈ શકે છે. જેમાં આ દમણ-દીવ 72 ચોરસ કિલોમીટરના વિસ્તાર ધરાવે છે.
દમણ-દીવની વસ્તી 1 લાખ 51 હજાર છે. જ્યારે દાદર નગર હવેલીનું ક્ષેત્રફળ 491 સ્ક્વેર કિમી છે. જ્યારે દાદરા-નગર હવેલીની વસતી 5 લાખ 31 હજાર છે. દાદરા-નગર હવેલીમાં 70 ગ્રામ પંચાયતો છે.
જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત રાજ્યમાં વિભાજિત કર્યા બાદ હવે દમણ-દીવ અને દાદરા-નગર હવેલીનું વિલીનીકરણ કરવામાં આવશે. આ બે કેન્દ્રશાસિત પ્રદેશને ભેગા કરી દેવામાં આવશે. આજે (બુધવારે) લોકસભામાં આ અંગે બિલ રજૂ કરાયું હતું. જે બિલ લોકસભામાં પાસ થયું છે.
ઉલ્લેખનીય છે કે બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે અલગ બજેટ અને સચિવાલય છે, દાદરા-નગર-હવેલીમાં એક જીલ્લો આવેલો છે. જ્યારે દમણ અને દીવમાં 2 જીલ્લા આવેલા છે. આ બંને પ્રદેશો 35 કીમી એકબીજાથી દૂર છે. વિલય બાદ વડુ મથક દમણ-દીવમાં થઈ શકે છે. જેમાં આ દમણ-દીવ 72 ચોરસ કિલોમીટરના વિસ્તાર ધરાવે છે.
દમણ-દીવની વસ્તી 1 લાખ 51 હજાર છે. જ્યારે દાદર નગર હવેલીનું ક્ષેત્રફળ 491 સ્ક્વેર કિમી છે. જ્યારે દાદરા-નગર હવેલીની વસતી 5 લાખ 31 હજાર છે. દાદરા-નગર હવેલીમાં 70 ગ્રામ પંચાયતો છે.