Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરના મુદ્દે વિશ્વમાં ક્યાંય દાળ ન ગળતાં હવે પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરની જનતાની ઉશ્કેરણી શરૂ કરી દીધી છે. અગાઉ કાશ્મીર અવરનો તાયફો કરનારઇમરાન ખાને શુક્રવારે પીઓકેમાં કાશ્મીરીઓ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. ઇમરાન ખાને પીઓકેના કાશ્મીરીઓને જણાવ્યું હતું કે, હું જાણું છું કે તમારામાંના ઘણા લોકોએ લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પાર કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આજે હું તમને કહું છું કે હમણાં એલઓસી પાર જવાની જરૂર નથી, હું તમને કહું ત્યારે એલઓસી પાર કરી જજો. પહેલાં મને સંયુક્ત રાષ્ટ્ર્માં જવા દો અને કાશ્મીરનો કેસ રજૂ કરવા દો. આર્થિક મોરચે નિષ્ફળ ગયેલા ઇમરાન ખાન હવે પીઓકેના કાશ્મીરીઓને ભારત વિરુદ્ધ ઉશ્કેરી રહ્યાં છે.

જમ્મુ-કાશ્મીરના મુદ્દે વિશ્વમાં ક્યાંય દાળ ન ગળતાં હવે પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરની જનતાની ઉશ્કેરણી શરૂ કરી દીધી છે. અગાઉ કાશ્મીર અવરનો તાયફો કરનારઇમરાન ખાને શુક્રવારે પીઓકેમાં કાશ્મીરીઓ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. ઇમરાન ખાને પીઓકેના કાશ્મીરીઓને જણાવ્યું હતું કે, હું જાણું છું કે તમારામાંના ઘણા લોકોએ લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પાર કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આજે હું તમને કહું છું કે હમણાં એલઓસી પાર જવાની જરૂર નથી, હું તમને કહું ત્યારે એલઓસી પાર કરી જજો. પહેલાં મને સંયુક્ત રાષ્ટ્ર્માં જવા દો અને કાશ્મીરનો કેસ રજૂ કરવા દો. આર્થિક મોરચે નિષ્ફળ ગયેલા ઇમરાન ખાન હવે પીઓકેના કાશ્મીરીઓને ભારત વિરુદ્ધ ઉશ્કેરી રહ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ