વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આચાર સંહિતના ભંગ બદલ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે ફોજદારી ફરિયાદ નોંધવા અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે આદેશ આપ્યો છે. વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણીમાં પ્રદીસસિંહ જાડેજાએ અસારવા બેઠક પરથી ભાજપ માટે ઉમેદવારી નોંધાવી હતી. 11 ડિસેમ્બર અને 16 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું હોવાથી રાજ્યમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી.
નવરાત્રિ દરમિયાન 10મી ઓક્ટોબરના રોજ અસારવા વિસ્તારમાં ગરબાના આયોજન દરમિયાન પ્રદીપસિંહે મુદ્રક અને પ્રકાશકના નામના ઉલ્લેખ વગરની પત્રિકાઓનું વિતરણ કરાવ્યું હતું . જેમાં તેમનો અને વડાપ્રધાન મોદીની તસવીર હતી.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આચાર સંહિતના ભંગ બદલ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે ફોજદારી ફરિયાદ નોંધવા અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે આદેશ આપ્યો છે. વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણીમાં પ્રદીસસિંહ જાડેજાએ અસારવા બેઠક પરથી ભાજપ માટે ઉમેદવારી નોંધાવી હતી. 11 ડિસેમ્બર અને 16 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું હોવાથી રાજ્યમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી.
નવરાત્રિ દરમિયાન 10મી ઓક્ટોબરના રોજ અસારવા વિસ્તારમાં ગરબાના આયોજન દરમિયાન પ્રદીપસિંહે મુદ્રક અને પ્રકાશકના નામના ઉલ્લેખ વગરની પત્રિકાઓનું વિતરણ કરાવ્યું હતું . જેમાં તેમનો અને વડાપ્રધાન મોદીની તસવીર હતી.