પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપ સામે તાજેતરમાં વિધાનસભા ચૂંટણીમાં મેળવેલી ધમાકેદાર જીત બાદ હવે તેમની નજર રાષ્ટ્રીય ફલક પર છે.
આજે મમતા બેનરજીએ શહીદ દિવસની ઉજવણી નિમિત્તે વિરોધી પાર્ટીઓને એક થવા માટે આહ્વાન કર્યુ હતુ. આજે ઓનલાઈન પ્રસારણ સાથે દિલ્હીમાં યોજાયેલા તૃણમુલ કોંગ્રેસના કાર્યક્રમમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ તથા પી.ચિદમ્બરમ, સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવ, જયા બચ્ચન પણ હાજર હતા.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપ સામે તાજેતરમાં વિધાનસભા ચૂંટણીમાં મેળવેલી ધમાકેદાર જીત બાદ હવે તેમની નજર રાષ્ટ્રીય ફલક પર છે.
આજે મમતા બેનરજીએ શહીદ દિવસની ઉજવણી નિમિત્તે વિરોધી પાર્ટીઓને એક થવા માટે આહ્વાન કર્યુ હતુ. આજે ઓનલાઈન પ્રસારણ સાથે દિલ્હીમાં યોજાયેલા તૃણમુલ કોંગ્રેસના કાર્યક્રમમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ તથા પી.ચિદમ્બરમ, સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવ, જયા બચ્ચન પણ હાજર હતા.