ભારતમાં દિવાળીના તહેવારોમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ભલે 24 કલાકમાં સામે આવેલા આંકડા 50 હજારથી ઓછા હોય પરંતુ ચિંતાની બાબત એ છે કે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 88 લાખને પાર થઈ ગઈ છે. બીજી તરફ કુલ મૃત્યુઆંક 1.29 લાખને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 41,100 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 447 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 88,14,579 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 82 લાખ 5 હજાર 728 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 4,79,216 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,29,635 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ભારતમાં દિવાળીના તહેવારોમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ભલે 24 કલાકમાં સામે આવેલા આંકડા 50 હજારથી ઓછા હોય પરંતુ ચિંતાની બાબત એ છે કે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 88 લાખને પાર થઈ ગઈ છે. બીજી તરફ કુલ મૃત્યુઆંક 1.29 લાખને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 41,100 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 447 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 88,14,579 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 82 લાખ 5 હજાર 728 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 4,79,216 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,29,635 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.