ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થનારા લોકોના આંકડામાં રોજ 90 હજારથી વધુનો વધારો નોંધાઈ રહ્યો છે જે ચિંતાનું મોટું કારણ બની ગયું છે. દેશમાં કુલ સંક્રમિતોનો આંક 54 લાખને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 92,605 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1,133 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 54,00,620 થઈ ગઈ છે.
વિશેષમાં, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 43 લાખ 3 હજાર 44 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 10,10,824 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 86,752 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થનારા લોકોના આંકડામાં રોજ 90 હજારથી વધુનો વધારો નોંધાઈ રહ્યો છે જે ચિંતાનું મોટું કારણ બની ગયું છે. દેશમાં કુલ સંક્રમિતોનો આંક 54 લાખને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 92,605 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1,133 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 54,00,620 થઈ ગઈ છે.
વિશેષમાં, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 43 લાખ 3 હજાર 44 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 10,10,824 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 86,752 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.