ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંક 65 લાખને પાર પહોંચી ગયો છે. જેની સામે તેની સામે કોવિડ-19 સામે લડતાં એક લાખથી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 75,829 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 940 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 65,49,374 થઈ ગઈ છે.
બીજી તરફ, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 55 લાખ 9 હજાર 967 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,37,625 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,01,782 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંક 65 લાખને પાર પહોંચી ગયો છે. જેની સામે તેની સામે કોવિડ-19 સામે લડતાં એક લાખથી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 75,829 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 940 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 65,49,374 થઈ ગઈ છે.
બીજી તરફ, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 55 લાખ 9 હજાર 967 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,37,625 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,01,782 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.