ભારતમાં કોવિડ-19 (COVID-19)ના નવા કેસોની સંખ્યાથી ચિંતા અનેક ગણી વધી ગઈ છે. રવિવાર બાદ સોમવારે પણ 24 કલાકમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 90 હજારથી વધુ નોંધાઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં 90,802 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1,016 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 42,04,614 થઈ ગઈ છે.
આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 32 લાખ 50 હજાર 429 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 8,82,542 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 71,642 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ભારતમાં કોવિડ-19 (COVID-19)ના નવા કેસોની સંખ્યાથી ચિંતા અનેક ગણી વધી ગઈ છે. રવિવાર બાદ સોમવારે પણ 24 કલાકમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 90 હજારથી વધુ નોંધાઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં 90,802 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1,016 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 42,04,614 થઈ ગઈ છે.
આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 32 લાખ 50 હજાર 429 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 8,82,542 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 71,642 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.