દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો નોંધાવવામાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. રવિવારે જાહેર થયેલા આંકડામાં નવા કેસોની સંખ્યા 90 હજારથી પણ આગળ વધી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં 90,633 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે 1,065 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 41,13,812 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 31 લાખ 80 હજાર 866 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 8,62,320 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 70,626 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો નોંધાવવામાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. રવિવારે જાહેર થયેલા આંકડામાં નવા કેસોની સંખ્યા 90 હજારથી પણ આગળ વધી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં 90,633 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે 1,065 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 41,13,812 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 31 લાખ 80 હજાર 866 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 8,62,320 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 70,626 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.