અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ‘નમસ્તે’ અંતર્ગત કોરોના વાઈરસ સામે કોર્પોરેશન દ્વારા રાખવામાં આવેલી સાવચેતી અંગેની માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, AMTS અને BRTS બસ સ્ટેન્ડ પર સેનિટાઈઝર મૂકવામાં આવશે. ઉપરાંત સાફસફાઈ કરનાર સફાઈ કામદારોને માસ્ક પહેરવાના રહેશે તેવી માહિતી આપી હતી. સાથે જ વૃદ્ધાશ્રમોમાં તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
નહેરાએ જણાવ્યું હતું કે, જે લોકો અસરગ્રસ્ત અથવા અન્ય દેશમાંથી આવ્યા હોય તો તેઓ ઘરમાં એક રૂમમાં રહો, 104 નંબર પર ફોન કરો, કોર્પોરેશનના અધિકારી અને ડોક્ટર આવશે. જરૂર પડ્યે હોસ્પિટલમાં લઈ જશે અને માસ્ક પણ આપવામા આવશે. સામાન્ય નાગરિકોએ માસ્ક પહેરીને ફરવાની જરૂર નથી માત્ર શંકાસ્પદ હોય તે લોકોએ જ પહેરવું.
નાગરિકોએ પાંચ વસ્તુ ધ્યાન રાખો
- નમસ્તે કહી અને અભિવાદન કરવું, હાથ મિલાવવાનું ટાળવું
- હાથ વ્યવસ્થિત સાફ કરવા
- મોંઢે, આંખ અને નાક પર હાથ રાખવો નહિ
- ભીડભાડવાળી જગ્યા પર જવું ટાળો
- અફવાઓથી સાવધાન રહો
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ‘નમસ્તે’ અંતર્ગત કોરોના વાઈરસ સામે કોર્પોરેશન દ્વારા રાખવામાં આવેલી સાવચેતી અંગેની માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, AMTS અને BRTS બસ સ્ટેન્ડ પર સેનિટાઈઝર મૂકવામાં આવશે. ઉપરાંત સાફસફાઈ કરનાર સફાઈ કામદારોને માસ્ક પહેરવાના રહેશે તેવી માહિતી આપી હતી. સાથે જ વૃદ્ધાશ્રમોમાં તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
નહેરાએ જણાવ્યું હતું કે, જે લોકો અસરગ્રસ્ત અથવા અન્ય દેશમાંથી આવ્યા હોય તો તેઓ ઘરમાં એક રૂમમાં રહો, 104 નંબર પર ફોન કરો, કોર્પોરેશનના અધિકારી અને ડોક્ટર આવશે. જરૂર પડ્યે હોસ્પિટલમાં લઈ જશે અને માસ્ક પણ આપવામા આવશે. સામાન્ય નાગરિકોએ માસ્ક પહેરીને ફરવાની જરૂર નથી માત્ર શંકાસ્પદ હોય તે લોકોએ જ પહેરવું.
નાગરિકોએ પાંચ વસ્તુ ધ્યાન રાખો
- નમસ્તે કહી અને અભિવાદન કરવું, હાથ મિલાવવાનું ટાળવું
- હાથ વ્યવસ્થિત સાફ કરવા
- મોંઢે, આંખ અને નાક પર હાથ રાખવો નહિ
- ભીડભાડવાળી જગ્યા પર જવું ટાળો
- અફવાઓથી સાવધાન રહો