દેશમાં કોરોના સંક્રમિતોનો આંક 67 લાખને પાર થઈ ગયો છે બીજી તરફ સોમવારે આંશિક રાહત બાદ મંગળવારે સંક્રમિત લોકોની સંખ્યામાં 10 હજારથી વધુનો ઉછાળો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 72,049 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 986 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 67,57,132 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 57 લાખ 44 હજાર 694 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,07,883 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,04,555 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
દેશમાં કોરોના સંક્રમિતોનો આંક 67 લાખને પાર થઈ ગયો છે બીજી તરફ સોમવારે આંશિક રાહત બાદ મંગળવારે સંક્રમિત લોકોની સંખ્યામાં 10 હજારથી વધુનો ઉછાળો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 72,049 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 986 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 67,57,132 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 57 લાખ 44 હજાર 694 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,07,883 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,04,555 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.