ભારતમાં કોરોના કેસોની સંખ્યા સતત 43 હજારથી ઉપર નોંધાઈ રહી છે. આ ઉપરાંત એક્ટિવ કેસનો આંક ફરીથી 4 લાખથી ઉપર પહોંચી ગયો છે. રાહતની વાત એ છે કે દેશમાં કોવિડ રિકવરી રેટ 97.39 ટકા થઈ ગયો છે. ગુરૂવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 43,509 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,15,28,114 થઈ ગઈ છે.
કોરોના વાયરસ મહામારી સામે લડીને 3 કરોડ 7 લાખ 1 હજાર 612 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 38,465 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,03,840 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,22,662 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ભારતમાં કોરોના કેસોની સંખ્યા સતત 43 હજારથી ઉપર નોંધાઈ રહી છે. આ ઉપરાંત એક્ટિવ કેસનો આંક ફરીથી 4 લાખથી ઉપર પહોંચી ગયો છે. રાહતની વાત એ છે કે દેશમાં કોવિડ રિકવરી રેટ 97.39 ટકા થઈ ગયો છે. ગુરૂવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 43,509 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,15,28,114 થઈ ગઈ છે.
કોરોના વાયરસ મહામારી સામે લડીને 3 કરોડ 7 લાખ 1 હજાર 612 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 38,465 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,03,840 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,22,662 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.