કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા મામલે ભારત હાલ બીજા સ્થાને છે. રોજ અંદાજિત 80 હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે જ્યારે એક હજારથી વધુ લોકો રોજ કોવિડ-19 સામેની જંગ હારી જતાં જીવ ગુમાવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 86,821 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,181 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 63,12,585 થઈ ગઈ છે.
બીજી તરફ, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 52 લાખ 73 હજાર 202 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,40,705 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 98,678 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા મામલે ભારત હાલ બીજા સ્થાને છે. રોજ અંદાજિત 80 હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે જ્યારે એક હજારથી વધુ લોકો રોજ કોવિડ-19 સામેની જંગ હારી જતાં જીવ ગુમાવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 86,821 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,181 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 63,12,585 થઈ ગઈ છે.
બીજી તરફ, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 52 લાખ 73 હજાર 202 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,40,705 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 98,678 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.