ભારતમાં સતત ત્રીજા દિવસે કોવિડ-19 સંક્રમિત લોકોનો આંક 90 હજારની નીચે નોંધાયો છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે કોરોના વાયરસથી કુલ 57 લાખ લોકો સંક્રમિત થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક 91 હજારને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 86,508 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,129 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 57,32,519 થઈ ગઈ છે.
વિશેષમાં, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 46 લાખ 74 હજાર 988 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,66,382 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 91,149 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ભારતમાં સતત ત્રીજા દિવસે કોવિડ-19 સંક્રમિત લોકોનો આંક 90 હજારની નીચે નોંધાયો છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે કોરોના વાયરસથી કુલ 57 લાખ લોકો સંક્રમિત થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક 91 હજારને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 86,508 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,129 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 57,32,519 થઈ ગઈ છે.
વિશેષમાં, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 46 લાખ 74 હજાર 988 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,66,382 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 91,149 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.