ભારતમાં સતત બીજા દિવસે કોવિડ-19થી સંક્રમિત થતા લોકોના આંકડામાં ઘટાડો નોંધાયો છે, પરંતુ ગઈકાલથી આ આંક વધુ છે. મંગળવારે 75 હજાર લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા જ્યારે આજે આ આંકડામાં 6 હજારનો વધારો નોંધાયો છે. પરંતુ થોડી રાહતની વાત એ છે કે આંક 90 હજારને પાર નથી ગયો. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 83,347 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,085 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 56,46,011 થઈ ગઈ છે.
બીજી તરફ, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 45 લાખ 87 હજાર 614 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,68,377 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 90,020 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ભારતમાં સતત બીજા દિવસે કોવિડ-19થી સંક્રમિત થતા લોકોના આંકડામાં ઘટાડો નોંધાયો છે, પરંતુ ગઈકાલથી આ આંક વધુ છે. મંગળવારે 75 હજાર લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા જ્યારે આજે આ આંકડામાં 6 હજારનો વધારો નોંધાયો છે. પરંતુ થોડી રાહતની વાત એ છે કે આંક 90 હજારને પાર નથી ગયો. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 83,347 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,085 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 56,46,011 થઈ ગઈ છે.
બીજી તરફ, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 45 લાખ 87 હજાર 614 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,68,377 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 90,020 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.