દેશમાં કોરોનાનું સંકટ વધુ ઘેરાતું હોય એવું લાગી રહ્યું છે. કોરોના સંક્રમિત થયેલા લોકોની સંખ્યા હવે 60 લાખના આંકડાને પાર કરી ગઈ છે. તો બીજી તરફ મૃત્યુઆંક પણ 95 હજારથી વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 82,170 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,039 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 60,74,703 થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 50 લાખ 16 હજાર 521 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,62,640 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 95,542 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
દેશમાં કોરોનાનું સંકટ વધુ ઘેરાતું હોય એવું લાગી રહ્યું છે. કોરોના સંક્રમિત થયેલા લોકોની સંખ્યા હવે 60 લાખના આંકડાને પાર કરી ગઈ છે. તો બીજી તરફ મૃત્યુઆંક પણ 95 હજારથી વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 82,170 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,039 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 60,74,703 થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 50 લાખ 16 હજાર 521 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,62,640 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 95,542 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.