Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોનાનો કહેર એ હદે વધી ગયો છે તેનો પુરાવો અત્યાર સુધીમાં તેનો ભોગ બનેલા આંકડાથી જાણી શકાય છે. અત્યાર સુધીમાં 99,773 લોકોએ કોરોના સામે લડતાં પોતાના જીવ ગુમાવ્યા છે. શનિવારે આ આંકડો એક લાખને પાર પહોંચી જશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 81,484 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,095 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 63,94,069 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 53 લાખ 52 હજાર 78 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,42,217 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 99,773 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. 

ભારતમાં કોરોનાનો કહેર એ હદે વધી ગયો છે તેનો પુરાવો અત્યાર સુધીમાં તેનો ભોગ બનેલા આંકડાથી જાણી શકાય છે. અત્યાર સુધીમાં 99,773 લોકોએ કોરોના સામે લડતાં પોતાના જીવ ગુમાવ્યા છે. શનિવારે આ આંકડો એક લાખને પાર પહોંચી જશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 81,484 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,095 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 63,94,069 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 53 લાખ 52 હજાર 78 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,42,217 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 99,773 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ