ભારતમાં કોવિડ-19થી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા હવે 68 લાખને પાર થઈ ગઈ છે. બુધવારે 72 જેટલા નવા કેસ નોંધાયા હતા જેની સામે ગુરુવારે તેમાં 6 હજારનો વધારો નોંધાયો છે. 24 કલાકમાં કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ એક હજારની આસપાસ રહે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 78,524 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 971 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 68,35,656 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 58 લાખ 27 હજાર 705 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,02,425 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,05,526 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ભારતમાં કોવિડ-19થી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા હવે 68 લાખને પાર થઈ ગઈ છે. બુધવારે 72 જેટલા નવા કેસ નોંધાયા હતા જેની સામે ગુરુવારે તેમાં 6 હજારનો વધારો નોંધાયો છે. 24 કલાકમાં કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ એક હજારની આસપાસ રહે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 78,524 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 971 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 68,35,656 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 58 લાખ 27 હજાર 705 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,02,425 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,05,526 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.