કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં મંગળવારે આંશિક ઘટાડો નોંધાયા બાદ બુધવારે જાહેર થયેલા આંકડામાં ફરી મોટો ઉછાળો નોંધાયો છે અને પોઝિટિવ કેસોનો આંક 78 હજારને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 78,357 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1045 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 37,69,524 થઈ ગઈ છે.
આ ઉપરાંત, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 29 લાખ 1 હજાર 909 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 8,01,282 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 66,333 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં મંગળવારે આંશિક ઘટાડો નોંધાયા બાદ બુધવારે જાહેર થયેલા આંકડામાં ફરી મોટો ઉછાળો નોંધાયો છે અને પોઝિટિવ કેસોનો આંક 78 હજારને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 78,357 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1045 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 37,69,524 થઈ ગઈ છે.
આ ઉપરાંત, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 29 લાખ 1 હજાર 909 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 8,01,282 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 66,333 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.