Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પરિવાર કલ્યાણ અને સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) તરફથી સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોના વાયરસના કુલ કેસ 71,20,538 પર પહોંચ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 66,732 કેસ નોંધાયા છે. દેશમાં હાલ કોરોના વાયરસના 8,61,853 સક્રિય કેસ રહેલા છે. દેશમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 61,49,535 થઈ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી દેશમાં કોરોનાના પોઝિટિવ કેસ (Corona Positive Cases)ની સંખ્યામાં ઉત્તરોતર ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે, દેશમાં આગામી સમયમાં તહેવારો આવી રહ્યા હોવાથી કોરોનાનું સંક્રમણ વધવાનો ખતરો રહેલો છે. 
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 816 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કુલ મૃત્યાંક 1,09,150 થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 71,559 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કુલ પોઝિટિવ કેસની સંખ્યાને જોવામાં આવે તો દેશ વિશ્વમાં બીજા નંબર પર રહ્યો છે. કુલ પોઝિટિવ કેસની સંખ્યામાં અમેરિકા પ્રથમ નંબર પર છે અને બ્રાઝિલ ત્રીજા નંબર પર છે. ભારતમાં કોરોનાથી સાજા થવાનો દર 86.4 ટકા છે, જ્યારે મોતનું પ્રમાણ 1.5 ટકા છે.
 

 દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પરિવાર કલ્યાણ અને સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) તરફથી સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોના વાયરસના કુલ કેસ 71,20,538 પર પહોંચ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 66,732 કેસ નોંધાયા છે. દેશમાં હાલ કોરોના વાયરસના 8,61,853 સક્રિય કેસ રહેલા છે. દેશમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 61,49,535 થઈ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી દેશમાં કોરોનાના પોઝિટિવ કેસ (Corona Positive Cases)ની સંખ્યામાં ઉત્તરોતર ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે, દેશમાં આગામી સમયમાં તહેવારો આવી રહ્યા હોવાથી કોરોનાનું સંક્રમણ વધવાનો ખતરો રહેલો છે. 
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 816 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કુલ મૃત્યાંક 1,09,150 થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 71,559 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કુલ પોઝિટિવ કેસની સંખ્યાને જોવામાં આવે તો દેશ વિશ્વમાં બીજા નંબર પર રહ્યો છે. કુલ પોઝિટિવ કેસની સંખ્યામાં અમેરિકા પ્રથમ નંબર પર છે અને બ્રાઝિલ ત્રીજા નંબર પર છે. ભારતમાં કોરોનાથી સાજા થવાનો દર 86.4 ટકા છે, જ્યારે મોતનું પ્રમાણ 1.5 ટકા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ