ભારતમાં થોડી રાહતનો શ્વાસ લેવા જેવી બાબત એ છે કે રોજેરોજ જાહેર થતા કોરોના સંક્રમિતોની સંખ્યા 70 હજારથી ઓછી નોંધાઈ રહી છે. પરંતુ મૃત્યુઆંક 1.12 લાખને પાર થઈ ચૂક્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 63,371 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 895 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 73,70,469 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 64 લાખ 53 હજાર 780 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 8,04,528 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,12,161 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ભારતમાં થોડી રાહતનો શ્વાસ લેવા જેવી બાબત એ છે કે રોજેરોજ જાહેર થતા કોરોના સંક્રમિતોની સંખ્યા 70 હજારથી ઓછી નોંધાઈ રહી છે. પરંતુ મૃત્યુઆંક 1.12 લાખને પાર થઈ ચૂક્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 63,371 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 895 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 73,70,469 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 64 લાખ 53 હજાર 780 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 8,04,528 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,12,161 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.