કોરોનાની બીજી લહેરનો કહેર દેશમાં ઓછો થઈ રહ્યો છે. ભારતમાં કોવિડ રિકવરી રેટ (India Covid Recovery Rate)માં સુધારો થતાં હવે તે 95.80 ટકાએ પહોંચી ગયો છે. એક્ટિવ કેસો (Corona Active Cases) પણ 9 લાખથી ઓછા થતાં આંશિક રાહત મળી છે. આ ઉપરાંત રોજનો પોઝિટિવિટી રેટ પણ ઘટીને 5 ટકાથી નીચે આવી ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવાર 16 જૂને જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 62,224 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 2542 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,96,33,105 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 26,19,72,014 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 28,00,458 લોકોને વેક્સીન આપવામાં આવી છે.
કોરોનાની બીજી લહેરનો કહેર દેશમાં ઓછો થઈ રહ્યો છે. ભારતમાં કોવિડ રિકવરી રેટ (India Covid Recovery Rate)માં સુધારો થતાં હવે તે 95.80 ટકાએ પહોંચી ગયો છે. એક્ટિવ કેસો (Corona Active Cases) પણ 9 લાખથી ઓછા થતાં આંશિક રાહત મળી છે. આ ઉપરાંત રોજનો પોઝિટિવિટી રેટ પણ ઘટીને 5 ટકાથી નીચે આવી ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવાર 16 જૂને જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 62,224 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 2542 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,96,33,105 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 26,19,72,014 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 28,00,458 લોકોને વેક્સીન આપવામાં આવી છે.