દેશમાં રવિવારે કોરોના સંક્રમણના આંકડાએ થોડા રાહતના સમાચાર આપ્યા છે. શનિવારની તુલનામાં 341 ઓછા નવા કેસો નોંધાયા છે. પણ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 75 લાખની નજીક પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 61,871 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1033 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 74,94,552 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 65 લાખ 97 હજાર 210 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 7,83,311 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,14,031 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
દેશમાં રવિવારે કોરોના સંક્રમણના આંકડાએ થોડા રાહતના સમાચાર આપ્યા છે. શનિવારની તુલનામાં 341 ઓછા નવા કેસો નોંધાયા છે. પણ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 75 લાખની નજીક પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 61,871 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1033 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 74,94,552 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 65 લાખ 97 હજાર 210 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 7,83,311 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,14,031 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.