દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા હવે 78 લાખની નજીક પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 1.17 લાખને પાર કરી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 54,366 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 690 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 77,61,312 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 69 લાખ 48 હજાર 497 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 6,95,509 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,17,306 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા હવે 78 લાખની નજીક પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 1.17 લાખને પાર કરી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 54,366 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 690 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 77,61,312 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 69 લાખ 48 હજાર 497 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 6,95,509 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,17,306 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.