ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે જાહેર થયેલો આંકડો 50 હજારની નીચે આવ્યો હતો જ્યારે આજે તે આંકડો 54 હજારે પહોંચ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 54,044 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 717 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 76,51,108 થઈ ગઈ છે.
આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 67 લાખ 95 હજાર 103 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 7,40,090 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,15,914 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે જાહેર થયેલો આંકડો 50 હજારની નીચે આવ્યો હતો જ્યારે આજે તે આંકડો 54 હજારે પહોંચ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 54,044 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 717 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 76,51,108 થઈ ગઈ છે.
આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 67 લાખ 95 હજાર 103 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 7,40,090 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,15,914 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.