ભારતમાં કોરોના સંક્રમિતોના રોજ જાહેર થતાં આંકડા 50 હજારની આસપાસ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત કોવિડ-19 સામે લડીને જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા પણ 700ની આસપાસ નોંધાઈ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 47,638 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 670 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 84,11,724 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 77 લાખ 65 હજાર 966 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 5,20,773 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,24,985 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ભારતમાં કોરોના સંક્રમિતોના રોજ જાહેર થતાં આંકડા 50 હજારની આસપાસ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત કોવિડ-19 સામે લડીને જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા પણ 700ની આસપાસ નોંધાઈ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 47,638 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 670 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 84,11,724 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 77 લાખ 65 હજાર 966 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 5,20,773 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,24,985 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.