ભારતવાસીઓ માટે થોડા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં 83 દિવસ બાદ કોરોનાથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 50 હજારથી ઓછી નોંધાઈ છે જ્યારે મૃત્યુઆંકમાં પણ મોટો ઘટાડો નોંધાતા તે 500ની નજીક આવી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 46791 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 587 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 75,97,064 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 67 લાખ 33 હજાર 329 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 7,48,538 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,15,197 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ભારતવાસીઓ માટે થોડા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં 83 દિવસ બાદ કોરોનાથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 50 હજારથી ઓછી નોંધાઈ છે જ્યારે મૃત્યુઆંકમાં પણ મોટો ઘટાડો નોંધાતા તે 500ની નજીક આવી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 46791 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 587 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 75,97,064 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 67 લાખ 33 હજાર 329 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 7,48,538 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,15,197 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.