Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નવેમ્બર મહિનામાં શિયાળાની અસર જોવા મળી રહી છે. તહેવારો નજીક આવતાં બજારોમાં પણ ગતિવિધિ તેજ જોવા મળી રહી છે. બજારો ગ્રાહકોથી ઉભરાઈ રહ્યા છે જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન ઉડીને આંખે વળગે છે. આવી સ્થિતિમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યામાં વધારો થવાની શક્યતા રહે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 45,903 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 490 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 85,53,657 થઈ ગઈ છે
ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 79 લાખ 17 હજાર 373 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 5,09,673 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,26,611 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. 
 

નવેમ્બર મહિનામાં શિયાળાની અસર જોવા મળી રહી છે. તહેવારો નજીક આવતાં બજારોમાં પણ ગતિવિધિ તેજ જોવા મળી રહી છે. બજારો ગ્રાહકોથી ઉભરાઈ રહ્યા છે જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન ઉડીને આંખે વળગે છે. આવી સ્થિતિમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યામાં વધારો થવાની શક્યતા રહે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 45,903 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 490 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 85,53,657 થઈ ગઈ છે
ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 79 લાખ 17 હજાર 373 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 5,09,673 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,26,611 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ