કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ભારતમાં 86 લાખને પાર થઈ ગઈ છે. ભલે કોવિડ-19ના નવા કેસોની સંખ્યા ઘટી ગઈ છે પરંતુ મૃત્યુઆંક રોજનો 500થી ઉપર રહે છે. સારી બાબત એ છે કે હાલ એક્ટિવ કેસો પણ 5 લાખથી ઓછા થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 44,281 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 512 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 86,36,012 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 80 લાખ 13 હજાર 784 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 4,94,657 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,27,571 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ભારતમાં 86 લાખને પાર થઈ ગઈ છે. ભલે કોવિડ-19ના નવા કેસોની સંખ્યા ઘટી ગઈ છે પરંતુ મૃત્યુઆંક રોજનો 500થી ઉપર રહે છે. સારી બાબત એ છે કે હાલ એક્ટિવ કેસો પણ 5 લાખથી ઓછા થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 44,281 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 512 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 86,36,012 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 80 લાખ 13 હજાર 784 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 4,94,657 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,27,571 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.