અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની જેમ દેશના અન્ય રાજ્યોમાં પણ રાત્રી કર્યૂ લાગુ કરીને કોરોના સંક્રમણને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 91 લાખને પાર થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 44,059 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 511 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 91,39,866 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 85 લાખ 62 હજાર 642 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 4,43,486 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,33,738 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની જેમ દેશના અન્ય રાજ્યોમાં પણ રાત્રી કર્યૂ લાગુ કરીને કોરોના સંક્રમણને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 91 લાખને પાર થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 44,059 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 511 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 91,39,866 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 85 લાખ 62 હજાર 642 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 4,43,486 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,33,738 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.