દેશમાં કોરોના મહામારી ને લઈને થોડા રાહતના સમાચાર આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3 લાખ 86 હજાર કોવિડ દર્દીના એક્ટિવ કેસ નોંધાયા છે જે 140 દિવસમાં સૌથી ઓછા છે. આ ઉપરાંત રિકવરી રેટ માં પણ સુધારો થતાં તે 97.45 ટકા થઈ ગયો છે. પરંતુ મંગળવારના દિવસ દરમિયાન 38 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે જે ચિંતાનું કારણ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 38,353 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 497 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,20,36,511 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 51,90,80,524 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. મંગળવારના 24 કલાકમાં 41,38,646 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં કોરોના મહામારી ને લઈને થોડા રાહતના સમાચાર આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3 લાખ 86 હજાર કોવિડ દર્દીના એક્ટિવ કેસ નોંધાયા છે જે 140 દિવસમાં સૌથી ઓછા છે. આ ઉપરાંત રિકવરી રેટ માં પણ સુધારો થતાં તે 97.45 ટકા થઈ ગયો છે. પરંતુ મંગળવારના દિવસ દરમિયાન 38 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે જે ચિંતાનું કારણ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 38,353 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 497 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,20,36,511 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 51,90,80,524 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. મંગળવારના 24 કલાકમાં 41,38,646 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.