મંગળવારે જાહેર થયેલા આંકડાઓથી મોટી રાહતના સંકેત મળી રહ્યા છે. કોરોના સંક્રમિત લોકોનો આંક 40 હજારથી નીચે આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 38,310 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 490 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 82,67,623 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 76 લાખ 3 હજાર 121 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 5,41,405 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,23,097 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
મંગળવારે જાહેર થયેલા આંકડાઓથી મોટી રાહતના સંકેત મળી રહ્યા છે. કોરોના સંક્રમિત લોકોનો આંક 40 હજારથી નીચે આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 38,310 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 490 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 82,67,623 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 76 લાખ 3 હજાર 121 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 5,41,405 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,23,097 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.