દેશમાં એક તરફ કોરોનાના નવા કેસો સામે આવી રહ્યા છે તો બીજી તરફ કોવિડ-19ને મ્હાત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ સકારાત્મક સંકેતો આપી રહ્યા છે. અત્યાર સુધીમાં 92 લાખથી પણ વધુ દર્દીઓ સાજા થયા છે. બુધવારે, કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 32,080 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 402 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 97,35,850 થઈ ગઈ છે.
દેશમાં એક તરફ કોરોનાના નવા કેસો સામે આવી રહ્યા છે તો બીજી તરફ કોવિડ-19ને મ્હાત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ સકારાત્મક સંકેતો આપી રહ્યા છે. અત્યાર સુધીમાં 92 લાખથી પણ વધુ દર્દીઓ સાજા થયા છે. બુધવારે, કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 32,080 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 402 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 97,35,850 થઈ ગઈ છે.