દેશમાં કોરોનાનો ગ્રાફ હવે નીચે આવતો હોય તેવું જોવા મળી રહ્યું છે. કોરોના વેક્સીન આવવાના અહેવાલોની સાથે ધીમી થતી કોરોના સંક્રમણની સ્પીડે લોકોને ઘણી રાહત આપી છે પરંતુ કોરોના મહામારીનું સંકટ હજુ પૂરી રીતે ખતમ નથી થયું. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 30,254 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 391 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 98,57,029 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 93 લાખ 57 હજાર 464 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 33,136 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 3,56,546 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,43,019 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
દેશમાં કોરોનાનો ગ્રાફ હવે નીચે આવતો હોય તેવું જોવા મળી રહ્યું છે. કોરોના વેક્સીન આવવાના અહેવાલોની સાથે ધીમી થતી કોરોના સંક્રમણની સ્પીડે લોકોને ઘણી રાહત આપી છે પરંતુ કોરોના મહામારીનું સંકટ હજુ પૂરી રીતે ખતમ નથી થયું. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 30,254 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 391 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 98,57,029 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 93 લાખ 57 હજાર 464 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 33,136 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 3,56,546 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,43,019 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.