વર્ષના છેલ્લા દિવસે નોંધાયેલા કોરોના વાયરસના કેસોમાં આંશિક વધારો નોંધાયો છે. આ ઉપરાંત મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં વધુ નોંધાઈ છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 21,821 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 299 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,02,66,674 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 98 લાખ 60 હજાર 280 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 26,139 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,57,656 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,48,738 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વર્ષના છેલ્લા દિવસે નોંધાયેલા કોરોના વાયરસના કેસોમાં આંશિક વધારો નોંધાયો છે. આ ઉપરાંત મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં વધુ નોંધાઈ છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 21,821 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 299 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,02,66,674 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 98 લાખ 60 હજાર 280 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 26,139 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,57,656 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,48,738 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.