કોરોનાના નવા સ્ટ્રેનના કેસો સામે આવ્યા બાદ સરકારે તકેદારીના તમામ પગલાં લીધા છે. આ ઉપરાંત 24 કલાકમાં નોંધાતા કોવિડ-19થી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તેની સાથોસાથ એક દિવસમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ ઘટી છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,177 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 217 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,03,23,965 થઈ ગઈ છે.
કોરોનાના નવા સ્ટ્રેનના કેસો સામે આવ્યા બાદ સરકારે તકેદારીના તમામ પગલાં લીધા છે. આ ઉપરાંત 24 કલાકમાં નોંધાતા કોવિડ-19થી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તેની સાથોસાથ એક દિવસમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ ઘટી છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,177 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 217 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,03,23,965 થઈ ગઈ છે.