દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ગઈકાલની સરખામણીએ આજે વધારો જોવા મળ્યો છે. જોકે છેલ્લા 2 દિવસથી મૃતકઆંકમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે તે રાહતની વાત કહી શકાય. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,150 નવા કેસ સામે આવ્યા છે જે ગઈકાલની સરખામણીએ 192 જેટલા વધારે છે. આ સમય દરમિયાન 4 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. જ્યારે સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 954 છે.
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ગઈકાલની સરખામણીએ આજે વધારો જોવા મળ્યો છે. જોકે છેલ્લા 2 દિવસથી મૃતકઆંકમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે તે રાહતની વાત કહી શકાય. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,150 નવા કેસ સામે આવ્યા છે જે ગઈકાલની સરખામણીએ 192 જેટલા વધારે છે. આ સમય દરમિયાન 4 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. જ્યારે સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 954 છે.