કોરોનાની વેક્સિન દેશમાં ક્યારે આવશે અને લોકોને ક્યારે મળતી થશે તે અંગે ચર્ચાએ વેગ પકડયો છે ત્યારે AAIMS નાં ડિરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે દેશમાં સામાન્ય માનવી સુધી ૨૦૨૨ સુધીમાં વેક્સિન પહોંચી શકશે. ભારત દેશ વિસ્તાર અને કદમાં મોટો છે તેમજ વસ્તી ઘણી વધારે છે આથી તમામને વેક્સિન આપતા એક વર્ષ કરતા વધુ સમય લાગી શકે છે. રણદીપ ગુલેરિયા કોરોના વાઈરસ મેનેજમેન્ટ માટે બનાવાયેલા નેશનલ ટાસ્ક ફોર્સના સભ્ય છે. તેમણે કહ્યું કે કોરોના જલદી ખતમ થશે નહીં. ભારતનાં બજારોમાં તેની દવા પહોંચતા એક વર્ષ કરતા વધુ સમય લાગી શકે છે. દેશનાં તમામ વિસ્તારોમાં ઝડપથી વેક્સિન પહોંચાડવી એ મોટો પડકાર છે.
કોરોનાની વેક્સિન દેશમાં ક્યારે આવશે અને લોકોને ક્યારે મળતી થશે તે અંગે ચર્ચાએ વેગ પકડયો છે ત્યારે AAIMS નાં ડિરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે દેશમાં સામાન્ય માનવી સુધી ૨૦૨૨ સુધીમાં વેક્સિન પહોંચી શકશે. ભારત દેશ વિસ્તાર અને કદમાં મોટો છે તેમજ વસ્તી ઘણી વધારે છે આથી તમામને વેક્સિન આપતા એક વર્ષ કરતા વધુ સમય લાગી શકે છે. રણદીપ ગુલેરિયા કોરોના વાઈરસ મેનેજમેન્ટ માટે બનાવાયેલા નેશનલ ટાસ્ક ફોર્સના સભ્ય છે. તેમણે કહ્યું કે કોરોના જલદી ખતમ થશે નહીં. ભારતનાં બજારોમાં તેની દવા પહોંચતા એક વર્ષ કરતા વધુ સમય લાગી શકે છે. દેશનાં તમામ વિસ્તારોમાં ઝડપથી વેક્સિન પહોંચાડવી એ મોટો પડકાર છે.