કેન્દ્રનાં ગૃહમંત્રાલયના અધિકારીઓએ સંકેતો આપ્યા હતા કે દેશમાં વેક્સિન આવ્યા પછી પહેલા તબક્કામાં ૩ કરોડ લોકોને અપાશે. સરકારે આ માટે ૩ કરોડ વેક્સિનના સંગ્રહની વ્યવસ્થા કરી છે. પહેલા તબક્કામાં જે ૩ કરોડ લોકોને વેક્સિન અપાશે તેમાં ૭૦થી ૮૦ લાખ ડોક્ટર અને ૨ કરોડ આરોગ્ય કર્મીઓ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આવતા વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં દેશમાં વેકિસન આવી શકે છે. આ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં કોરોના રસીના ૬૦ કરોડ ડોઝ ખરીદવામાં આવશે. જેમાં કોરોના વોરિયર્સને પ્રાથમિક્તા સાથે રસી અપાશે.
કેન્દ્રનાં ગૃહમંત્રાલયના અધિકારીઓએ સંકેતો આપ્યા હતા કે દેશમાં વેક્સિન આવ્યા પછી પહેલા તબક્કામાં ૩ કરોડ લોકોને અપાશે. સરકારે આ માટે ૩ કરોડ વેક્સિનના સંગ્રહની વ્યવસ્થા કરી છે. પહેલા તબક્કામાં જે ૩ કરોડ લોકોને વેક્સિન અપાશે તેમાં ૭૦થી ૮૦ લાખ ડોક્ટર અને ૨ કરોડ આરોગ્ય કર્મીઓ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આવતા વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં દેશમાં વેકિસન આવી શકે છે. આ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં કોરોના રસીના ૬૦ કરોડ ડોઝ ખરીદવામાં આવશે. જેમાં કોરોના વોરિયર્સને પ્રાથમિક્તા સાથે રસી અપાશે.