ભારતમાં થોડા દિવસ કોરોના સંક્રમણના નવા કેસો સામે આવવામાં આંશિક રાહત મળ્યા બાદ ગુરૂવારે ફરી કોવિડ-19ના કેસોએ માથું ઊંચક્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 45,576 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 585 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 89,58,484 થઈ ગઈ છે.
ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 83 લાખ 83 હજાર 603 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 4,43,303 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,31,578 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ભારતમાં થોડા દિવસ કોરોના સંક્રમણના નવા કેસો સામે આવવામાં આંશિક રાહત મળ્યા બાદ ગુરૂવારે ફરી કોવિડ-19ના કેસોએ માથું ઊંચક્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 45,576 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 585 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 89,58,484 થઈ ગઈ છે.
ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 83 લાખ 83 હજાર 603 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 4,43,303 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,31,578 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.