કોરોનાના ગંભીર સંક્રમણમાંથી સાજા થયેલા દર્દીઓ માટે પહેલીવાર વિગતવાર ગાઇડલાઇન જારી કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, આ પ્રકારના દર્દીઓમાં થાક, શરીરનો દુખાવો, ખાંસી, ગળામાં ખારાશ, શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો ચાલુ રહે તેવી સંભાવના છે. કોરોના સંક્રમણમાંથી સાજા થયેલા દર્દીઓમાં દેખાતા લક્ષણો અંગેના મર્યાદિત પુરાવા છે અને તેમાં વધુ સંશોધનની જરૂર છે. કોરોનાના ગંભીર સંક્રમણનો સામનો કરનારા અને જેઓ ગંભીર બીમારીઓથી પીડાય છે તેવા દર્દીઓના રિકવર થવામાં વધુ સમય લાગી શકે છે.
કોરોનાના ગંભીર સંક્રમણમાંથી સાજા થયેલા દર્દીઓ માટે પહેલીવાર વિગતવાર ગાઇડલાઇન જારી કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, આ પ્રકારના દર્દીઓમાં થાક, શરીરનો દુખાવો, ખાંસી, ગળામાં ખારાશ, શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો ચાલુ રહે તેવી સંભાવના છે. કોરોના સંક્રમણમાંથી સાજા થયેલા દર્દીઓમાં દેખાતા લક્ષણો અંગેના મર્યાદિત પુરાવા છે અને તેમાં વધુ સંશોધનની જરૂર છે. કોરોનાના ગંભીર સંક્રમણનો સામનો કરનારા અને જેઓ ગંભીર બીમારીઓથી પીડાય છે તેવા દર્દીઓના રિકવર થવામાં વધુ સમય લાગી શકે છે.