દેશમાં કોરોના વાઈરસના કેસો સતત વધી રહ્યાં છે. કોરોના દર્દીઓના આંકડા એકત્રિત કરનારી વેબસાઈટ વર્લ્ડ મીટર્સના જણાવ્યા પ્રમાણે, ભારતમાં 4778 લોકો કોરોના પોઝિટિવ છે. 136 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યાં છે. જો કે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે હજુ પણ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 4281 અને મૃતકોની સંખ્યા 111 જણાવાઈ રહી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 704 નવા કેસો સામે આવ્યા છે અને 28 લોકોના મોત થયા છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, દેશની વિભિન્ન હોસ્પિટલોમાં હાલ 3851 કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત 381 લોકોને સારવાર મળ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાના કુલ કેસોમાં 66 વિદેશી નાગરિકો પણ સામેલ છે.
દેશમાં કોરોના વાઈરસના કેસો સતત વધી રહ્યાં છે. કોરોના દર્દીઓના આંકડા એકત્રિત કરનારી વેબસાઈટ વર્લ્ડ મીટર્સના જણાવ્યા પ્રમાણે, ભારતમાં 4778 લોકો કોરોના પોઝિટિવ છે. 136 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યાં છે. જો કે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે હજુ પણ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 4281 અને મૃતકોની સંખ્યા 111 જણાવાઈ રહી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 704 નવા કેસો સામે આવ્યા છે અને 28 લોકોના મોત થયા છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, દેશની વિભિન્ન હોસ્પિટલોમાં હાલ 3851 કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત 381 લોકોને સારવાર મળ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાના કુલ કેસોમાં 66 વિદેશી નાગરિકો પણ સામેલ છે.